અમારી પારીવારીક કચ્છ યાત્રા
અમારા કુળદેવીશ્રી અાશાપુરા માતાજીનો જાણે કે હુકમ જ થયો હોય તેમ
અમારે સહપરીવાર માતાના મઢ દરશને જવાનું થયુ. રાજકોટથી નિકળી પ્રથમ
ધ્રંગ દાદા મેકરણની જગ્યામાં અાવી પહોંચ્યા. ખબુ બજા અાવી. મેકરણદાદાની
સમાધી તેમજ તેમના વ્હાલા લાલીયા (ગધેડા) અને મોતીયા (કુતરા) ની સમાધીના પણ
દરશન કરેલ. અહીથી સિધ્ધા જ માતાના મઢ પહોંચી સાંજની અારતી અને સવારે
મંગળા અાઆરતીનો લ્હાવો લઇ અમો તો જાણે ધન્ય જ બની ગયા. બસ પછી અમારી
યાત્રા અહીંથી બીજા દિવસે અાગળ વધારી અને પહોંચ્યા ગઢ શીશા ચંદુમાની
જગ્યામાં. અહીં દરશનનો લાભ લઇ માંડવી બીચ દરિયા કિનારે ગયા. બાળકોને તો
અહીં ખુબ મજા અાવી પણ મોટાઅોને પણ મન રોમાંચિત થઇ જાય તેવો અહીં નજારો
હતો. બોટ, ઘોડા, ઉંટ વગેરે કિનારા પરની શોભા વધારી રહ્યા હતા. કચ્છની
દાબેલીનો સ્વાદ માણી અહીંથી યાત્રા ફરી અાગળ વધારી અને મોમાઇ મોરા જઇ
રાજકોટ ખાતે અમારી યાત્રાને વિરામ અાપ્યો. ખરેખર અા યાત્રા અમારા બધા
માટે સુખરૂપ બની રહી હતી. મા અાશાપુરામાં બધાનું સારૂ કરે .. જય માતાજી!
No comments:
Post a Comment